આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા તેમજ મારી માટી - મારો દેશ અભિયાન હેઠળ વડોદરા શહેરમાં સ્વતંત્રતા દિન ૧૫મી ઓગસ્ટના પર્વની ઉજવણી સંદર્ભે કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગ, કલેકટર ઓફિસ, કાલાઘોડા, લાયન સર્કલ સહિતના વિવિધ ટ્રાફિક સર્કલો, ઐતિહાસિક માંડવી, લાલ કોર્ટ બિલ્ડિંગ, ન્યાયમંદિર, પ્રતાપનગર રેલવે સ્ટેશન સહિત વિવિધ રેલવે સ્ટેશનો, ગાંધી નગરગૃહ, વિવિધ પોલીસ સ્ટેશનોની બિલ્ડિંગો વગેરે તિરંગી રોશનીથી શણગારવામાં આવેલ છે. આ આકર્ષક રોશની જાેવા લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. અને ત્યાં પહોંચી સેલ્ફી પણ લઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોની દીવાલો પર કોર્પોરેશન દ્વારા આઝાદી પર્વને અનુરૂપ વિવિઘ ચિત્રો દોરવામાં આવ્યા છે, જે પણ સેલ્ફી પોઇન્ટ સમાન બની રહ્યા છે. વડોદરામાં સમા તળાવ પાસે હાઈ માસ્ટ ઉપર સૌથી ઊંચાઈ પર તિરંગો ફરકાવવામાં આવ્યો છે.