ગાંધીનગર-

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પૂ. હરીપ્રસાદ સ્વામીની 1 ઓગષ્ટે થનારી અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અક્ષરવાસી પૂ. હરિપ્રસાદ સ્વામીની આગામી 1 લી ઓગષ્ટે હરિધામ સોખડા ખાતે અંતિમવિધિ થવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્ને એકસાથે ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કેબિનેટ બેઠક બાદ સીધા હરી પ્રસાદ સ્વામી ના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 ઓગષ્ટે રાજય સરકાર ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી ની શરૂઆત પણ થવાની છે.