સોમનાથ-

ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે શીશ ઝુકાવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વહેલી સવારે ૫થી ૬ વાગ્યા દરમિયાન તેમણે સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવી અને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરી હતી. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.