વડોદરા, તા.૨૪ 

નરહરિ આરોગ્ય કેન્દ્રના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂઉ વ્રજરાજકુમારજી મહોદયના આશીર્વાદથી નરહરિ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-૧૯ કોરોના દર્દીઓની સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદય સાથે મેનેજિંગ ટ્રસ્ટી, આશિષ પરીખ, ડો. દર્શન બેન્કર, રાજેન્દ્ર શાહ સહિતના ટ્રસ્ટીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોનાની સારવાર અર્થે આવનાર દર્દીઓને રાહતદરે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.