દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ લગભગ 79 હજાર નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 63,498 સુધી પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાના 77,266 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શનિવારે 76,472 કેસ નોંધાયા હતા. જો કે ભારતમાં રિકવરી રેટ અને પોઝિટિવિટી રેટ સારો છે અને મૃત્યુંદર ઓછો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 948 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 27,13,933 દર્દી સાજા થઈ ગયા છે અને 63,498 લોકોના મોત થઈ ગયા છે. 29 ઓગસ્ટના રોજ 10,55,027 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.