અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાને કારણે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ગામે ગામ કોરોનાને કારણે ટપોટપ લોકો મરી રહ્યા છે. મરતા અને કણસતા લોકોની પરિસ્થિતી સામે સરકાર શું કરી રહી છે અને લોકોનાં કેવા પ્રતિસાદ છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર મૂકાતી કોમેન્ટ પરથી મળી રહ્યો છે. ગુજરાતનાં રાજકારણીઓ પર હવે કોમેન્ટ થાય છે કે, હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ પીગળી ગઇ છે. પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તબીબી ભાષામાં તેને પીક હેવામાં આવે છે. જાેકે આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ તે મોટો સવાલ છે. દિવાળીનાં તહેવારમાં પર લોકોએ ઉજવણી કરી એટલે કોરોનાનું સંક્રમણ વધ્યું તેવું કહેવામાં આવ્યું હતું. જાેકે હવે કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારે કેમ ચૂંટણીમાં સભાઓ અને સરઘરો થયા. એટલે કેસ વધ્યા તેવું કહેવામાં આવતું નથી તેવી કોમેન્ટો સોશ્યલ મીડિયામાં કરી રહ્યા છે. લોકોની અંદર આક્રોશ જાેવા મળી રહ્યો છે.

કોરોના કાળમાં પ્રજાનાં પ્રતિનિધિ કહેવાતા નેતાઓ લોકોની પડખે ઉભા રહેવાને બદલે મોં બતાવવા પણ બહાર નિકળતા નથી. સોશ્યલ મીડિયા પર લોકો ભડાસ કાઢી રહ્યા છે. જેમાં કોરોના સામે સૌથી પાંગળું તંત્ર, બસ હવે બહું થયું કામે ચડો, ગવર્મેન્ટ સિસ્ટમ ફેઇલ, પી.એમ રીલીફ ફંડમાંથી મદદ કરો, મેડિકલ ટ્રિટમેન્ટ ફ્રી કરો, લોકો મરે છે ને નેતાઓ ગોત્યા જડતા નથી, ગરીબોનાં આંસુ લુછનારા કોઇ નથી, રાજકોટમાં પનોતી બેસાડી દીધી રાજકારણીઓએ, ઓક્સિજન બેડ મળતા નથી, ફેંકવાનું બંધ કરો જેવી કોમેન્ટોનો હાયળો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની છ કરોડ પ્રજાએ સરકાર અને સરકારનાં પ્રતિનિધીઓને ખોબલે ખોબલે મત આપીને સત્તા પર બેસાડ્યા છે. અમુક માનવતાવાદી ધારાસભ્યને બાદ કરતા એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય પ્રજાની વચ્ચે જાેવા મળ્યો નથી. જેનો રોષ હવે સોશ્યલ મિડીયા પર ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રોષ ઠારવો પણ એટલો જ જરૂરી છે.