અમદાવાદ-

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા 60 કલાકનું કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ નિર્ણયની જાહેરાત થયા બાદ આજે સવારના સમયે શહેરની કાલુપુર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના તહેવાર સમયે થયેલી ભીડ અને શિયાળાની શરુઆત સાથે કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા મહત્વનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કર્ફ્યુ પુર્વે આજે લોકોએ ફરી સમાજિક અંતર જાળવવાના નિયમને નેવે મુકી અને ખરીદી કરી હતી.સવારના સમયથી જ અમદાવાદની કાલુપુર માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યુ રહેવાની વાતના કારણે ખરીદી કરવા નીકળી પડ્યા હતા.