અમદાવાદ 

અમદાવાદ શહેરના બારેજા ગામમાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. ગેસ સિલિન્ડર લીકેજ થતાં થયેલ બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત થયા છે. મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના દસ સભ્યો એક રૂમમાં રહેતા હતા.ત્યારે રાત્રે પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો.

બારેજા ગામમાં મંગળવારની રાત એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. જોકે દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો.જેમાં તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટના માં ઇજા પામેલ ૨ સભ્યો ના ગઇકાલે અને આજે ૫ સભ્યો એમ કુલ ૭ લોકો ના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલ માં ત્રણ લોકો સારવાર હેઠળ છે.મૃતકના નામ 1. રામપ્યારી બાઈ અહિરવાર ( ઉં. વ. 56) 2. રાજુભાઈ અહિરવાર ( ઉં. વ. 31) 3. સોનુ અહિરવાર ( ઉં. વ. 21) 4. વૈશાલી બેન અહિરવાર ( ઉં. વ. 7) 5. નિતેશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 6) 6. પાયલ બેન અહિરવાર ( ઉં. વ. 4) 7. આકાશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 2)જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. જેમની હાલ સિવિલ હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે. આ તમામ લોકો મધ્ય પ્રદેશ ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.