અમદાવાદ-

આગામી 24 કલાકમાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. જેને લઈને માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 7 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં નોંધાયો છે. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે. કચ્છમાં વરસાદસતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં પોણા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઇંચ, ભચાઉ-માંડવીમાં સવા, ભુજમાં એક અને નલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને લઈને પોરબંદર જિલ્લામાં NDRFની તૈનાત કરાઈ હતી. છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં 30 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં 23 હજાર 135 ક્યુસેક પાણીની આવક અને 8 હજાર 893 ક્યુસેક પાણીની જાવક છે. ડેમની જળસપાટી 116.73 મીટર પર પહોંચી છે. સાબરકાંઠાના વડાલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વડાલીના થુરાવાસ,હાથરવા,કેશરગંજ પંથકમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદને લઈ ખેડૂતોમાં આનંદનો માહોલ છે.