ભરૂચ, ભરૂચ શહેરના પેવરબ્લોકથી રસ્તાનું રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેવરબ્લોકથી બનેલ પ્રથમ રસ્તો હોવાનું મનાય છે. જે જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે નવા બનાવાયેલા રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવી રહયું છે. ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતાં અને ખખડધજ બની ગયેલાં રસ્તાનું નવીનીકરણ કરાયું છે. આ રસ્તાને સિમેન્ટ- કોંક્રિટ ઉપરાંત પેવર બ્લોકથી બનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી આ રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. આખરે રવિવારના રોજ રસ્તાને વાહનચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. આ રસ્તો જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે અને શહેરનો પ્રથમ પેવરબ્લોકથી બનેલો રસ્તો હોવાનો દાવો કરાયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments