દિલ્હી-

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આજે બજેટ રજૂ કર્યું. ડેપ્યુટી સીએમ અને નાણાં મંત્રી મનીષ સિસોદિયાએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૬૯ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ માટે આવતાં વર્ષથી દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે, જેના માટે ૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

બજેટ રજૂ કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે, દેશભક્તિ બજેટના નામથી આ બજેટ રજૂ કરું છું. સાથે જ તેમણે કહ્યું કે, ૭૫ સપ્તાહ સુધી દેશભક્તિનું આયોજન ૧૨ માર્ચથી કરવામાં આવશે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી દિલ્હીમાં દેશભક્તિનો માહોલ રહેશે. વર્ષ ૨૦૪૭માં અમે દિલ્હીને ક્યાં જાેવા માંગીએ છીએ? તેનો પાયો નાંખવા ઇચ્છુ છુ.

- શહીદ પરિવારો માટે ૨૬ કરોડ રૂપિાયની ફાળવણી કરાઇ. ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને સન્માનિત કરવા માટે દિલ્હીમાં કાર્યક્રમ થશે.

- ૧૩૦૦ નવી ઇ બસો લાવશે સરકાર. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ૧૧ હજાર બસ ફ્લીટનો લક્ષ્યાંક

- ઇલેક્ટ્રિક વાહનો માટે ૫૦૦ ઇ ચાર્જિંગ સ્ટેશનનો ટાર્ગેટ, લંડનની પેટર્ન પર ચાર્જિંગની વ્યવસ્થા કરવાની તૈયારી.

- કેજરીવાલ સરકાર જ્યાં ઝૂપડપટ્ટી ત્યાં મકાન યોજન પર ૫૩૨૮ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

- વર્ષ ૨૦૪૮માં ઓલિમ્પિક રમતોની મેજબાની માટે અરજી કરશે દિલ્હી સરકાર

- ટીચર્સ યુનિવર્સિટીની શરૂઆત થશે. દિલ્હી લો યુનિવર્સિટીની શરૂઆત થશે. શિક્ષણ માટે ૧૬,૩૭૭ કરોડનું બજેટ

- દિલ્હીની કોલોનીયોમાં યોગ શિક્ષણ માટે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી

- દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ હશે, ૧૦૦ સ્કૂલ ઓફ એક્સિલેન્સ બનાવવામાં આવશે.

- વર્ષ ૨૦૪૭ સુધી કેજરીવાલ સરકારનો દિલ્હીના દરેક વ્યક્તિની ઉંમર સિંગાપુરના વ્યક્તિની ઉંમર બરાબર કરવાનો લક્ષ્ય