દિલ્હી-
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના સંક્રમિત છે. સિસોદિયાએ આ માહીતી ટ્વિટ દ્વારા આપી હતી. મનીષ સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું કે," મને સામાન્ય તાવ આવી રહ્યો હતો અને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. તાવ સિવાય તેમને અન્ય કોઈ તકલીફ જોવા મળી નથી. તેઓએ કહ્યું છે કે હું સ્વસ્થ છું અને તમારી પ્રાર્થનાથી જલ્દી સાજો થઈ જઈશ. "
કોરોના પોઝિટિવ આવ્યા બાદ મનીષ સિસોદિયા દિલ્હી વિધાનસભાના સત્રમાં ભાગ લઈ શક્યા નહીં. આ સત્ર 14 સપ્ટેમ્બરે એકત્રિત કરાયું હતું. કોરોનાના કારણે દિલ્હીના વિધાનસભા સત્રનો એક જ દિવસ રખાયો હતો અને પ્રશ્નકાળ મોકૂફ રખાયો હતો. મળતી માહિતી અનુસાર સિસોદિયાને દિલ્હી માલ અને સેવા કર સંશોધન વિધેયક સદનમાં રાખવાના હતા પરંતુ કોરોનાના કારણે તેઓ સામેલ થઈ શક્યા નથી.દિલ્હી વિધાનસભાના 3 અન્ય કર્મીને પણ કોરોના થયો છે. કુલ 180 ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાં ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હી વિધાનસભાનું કોરોના સંકટ વચ્ચે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું જેમાં માત્ર બિલને લઈને કામ કરવાનું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments