વડોદરા, તા.૮ 

માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી દ્વારા પ્રભુને લાડ લડાવવા માટે અનેક સુંદર મનોરથોનું આયોજન કરવામાં આવે છે. પરમ વિદુષી નિ.લી. પૂ.પા.ગો.૧૦૮ ઈન્દિરાબેટીજી મહોદયા (જીજી)ના પ્રાકટ્યોત્સવ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીના અધ્યક્ષતામાં શુક્રવાર શ્રાવણ વદ ચોથના પૂ.ના મનોરથ સ્વરૂપે પ્રભુ સુખાર્થે કમળ તલાઈમાં કમળ વિતાનનો ભવ્ય મનોરથ રાખવામાં આવ્યો હતો, જેમાં ૧૧,૦૦૦ કમળની સજાવટ કરવામાં આવી હતી. પૂ.જીજીના પ્રાકટ્યોત્સવ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય મનોરથનો અસંખ્ય વૈષ્ણવોએ લાભ લીધો હતો.