ભરૂચ

જિલ્લાના દહેજ ઓદ્યોગિક વસાહતમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ગત તારીખ ૩ જૂનના રોજ યશસ્વી રસાયણ કંપનીમાં ફાટી નીકળેલી આગમાં ૧૨ લોકોના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી.

જેના કારણે કંપનીનો પ્લાન્ટ બંધ હાલતમાં હતો. શનિવારના રોજ કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. જેના પગલે એક તબક્કે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.