અમદાવાદ-

સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી હતી. ત્યારે હવે બનાસકાંઠામાં પણ ભૂકંપ્ના આંચકા અનુભવાયા છે. આ આંચકો રાત્રે અનુભવાયો હતો. બનાસકાંઠાના વાવ નજીક ભૂકંપ્નો આંચકો આવ્યો હતો, જે 3.4ની તીવ્રતાનો હતો. રાત્રે 8.50 મિનિટે ભૂકંપ્નો આંચકો આવ્યો હતો. જેમાં ભૂકંપ્નું કેન્દ્ર બિંદુ વાવથી 52 કિલોમીટર દૂર પાકિસ્તાની તરફ હતું. 8.50 કલાકે આવેલા આ ભૂકંપ્નો સમય એવો હતો કે લોકો ઘરમાં જાગતા હતા, તેથી લોક તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠાના અનેક જિલ્લામાં ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા. ત્યારે લોકોએ જીવ બચાવવા ઘરની બહાર દોટ લગાવી હતી. 

ગુજરાતના ભૂકંપ્ના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપ્ના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન -પમાં આવે છે. ત્યારબાદ ભૂકંપ ઝોન 4 મા સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન 3 માં બનાસકાંઠા જિલ્લો આવે છે. 

કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપ્ની તીવ્રતા ઓછી છે. જિલ્લામાં નોંધાતા ધરતીકંપ્ના આંચકા અંગેની માહિતી ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફી સેન્ટર ખાતેથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ આવે તે બાદ તેના આફટર શોક નોંધાતા હોય છે. જેની તીવ્રતા ઓછી હોય છે.