મુંબઇ-  

દિગ્ગજ સિંગર એસપી બાલાસુબ્રમણ્યના અંતિમ સંસ્કાર ચેન્નાઈમાં કરવામાં આવ્યા છે. તેમને પોલીસ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગઈ કાલે, 25 સપ્ટેમ્બરના રોજ એસપીનું ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. 74 વર્ષીય એસપી પાંચ ઓગસ્ટથી હોસ્પિટલમાં એડમિટ હતા અને કોવિડ 19ની સારવાર કરાવી રહ્યા હતા.


25 સપ્ટેમ્બરની સાંજે એસપીના પાર્થિવ શરીરને વેનથી તિરુવલ્લુર જિલ્લાના થમરાઈપક્કમ સ્થિત તેમના રેડ હિલ્સ ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાહકોએ વેનનો પીછો કર્યો હતો. આથી જ વેનને સ્લો કરવી પડી હતી. આ પહેલા નંગમબક્કમ નિવાસ પર એસપીના પરિવારના સભ્યોએ અંતિમ દર્શન કર્યા હતા.