વડોદરા. તા.૨૮ 

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એક પંખા બનાવવાની ફેક્ટરીમાં ગઈકાલે એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ ત્વરિત કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઇડીસીમાં પંખા અને તેના પાટ્‌ર્સનું મેન્યુફેક્ચરિંગ કરનાર એક કંપની આવેલી છે. ગઈકાલે એકાએક કંપનીમાં આગ લાગી ગઈ હતી. આ અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે અને આગ ને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.