અમદાવાદ-

સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજે જૈફ વયે નિધન થયુ છે. દિનકર દેસાઇને વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા સન્માનિત પણ  કર્યા હતા. માંદગીના કારણે દિનકર દેસાઈનું નિધન થયું હોવાની માહિતી બહાર આવી છે નવસારી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીના નિધનને પગલે શહેરમાં શોકની લાગણી પ્રસરી છે. સ્વાતંત્ર્ય સેનાની દિનકર દેસાઈ હંમેશા નવસારીના લોકોનાં દિલમાં રહ્યા છે.

સ્વાતંત્ર્ય સેના તેમજ સદાય નવસારીવાસીઓનાં દિલમા વસનારા દિનકર દેસાઈના પુત્ર પીયૂષ દેસાઈ હાલ નવસારીના ધારાસભ્યનું પદ સંભાળી રહ્યાં છે. દિનકર દેસાઈ આઝાદીની લડાઈના સિપાહી હતા તેમજ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. 97 વર્ષની જૈફ વયે દિનકર દેસાઈએ વહેલી સવારે પોતાના નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા. . દિનકર દેસાઈ ગણદેવી વિધાનસભામાં બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નવસારીના વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈના રાજકીય સફરના મુખ્ય માર્ગદર્શક પણ તેઓ રહ્યા છે.



.