દિલ્હી-

શાહે આજે કચ્છના રણમાં ટેન્ટ સિટીમાં સીમા ક્ષેત્ર પાસે 'વિકાસોત્સવ 2020'નુ ઉદઘાટન કર્યુ. દેશની પાકિસ્તાનને જાેડતી પશ્ચિમી સરહદે ભુજ તાલુકાના ધોરડો ખાતે ગૃહમંત્રી અમિત શાહે ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અમિત શાહે કહ્યું કે, મા આશાપુરાના આશીર્વાદથી સીમા સુરક્ષિત છે. ઘણા સમય પછી ભુજ આવ્યો છું. કચ્છનું નવુ સ્વરૂપ જાેઈ બહુ સંતોષ થયો. સંપૂર્ણ યશ વડાપ્રધાન મોદીને જાય છે. પહેલાં ભુજ પનિસમેન્ટ પોસ્ટિંગ માટે ઓળખાતું હતું. આજે ભુજમાં પોસ્ટિંગ મેળવવા લાઈન લાગે છે. દેશની બધી સીમા પર વિકાસ ઉત્સવ થશે.

આ ઉપરાંત ગૃહમંત્રીએ કહ્યું કે, સીમાવર્તી ગામના નાગરિકોને તમામ સુવિધા મળશે. વિકાસ થવાથી સીમા સુરક્ષિત બની છે. દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે. સરહદ પર દરેક નાગરિકમાં જાગૃતિ જરૂરી છે. બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે.

અમિત શાહે કહ્યું કે, 50 વર્ષમાં સીમાઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જેટલું નથી થયું તેટલું નરેન્દ્ર મોદીની સરકારે 6 વર્ષની અંદર કામ કરીને સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે. 2008થી 2014 સુધી સીમાઓ પર રોડના રિસરફેસિંગની ઝડપ 17 કિમી હતી અને 2014થી 2020 સુધી 170 કિમીથી વધારીને 480 કિમી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ ગુરુવારે સવારે ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો પહોંચ્યા હતા. અહીં તેઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્ય્š કે, “આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દૂનિયાનો સૌથી મોટો 30,000 મેગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ પાર્ક આ કચ્છની સરહદ ઉપર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ” સરહદ સુરક્ષાને લઇને મુખ્યમંત્રીએ કહ્ય્š કે, “સરહદો જાગૃત બનશે, સરહદી ગામો વિકાસશીલ બનશે તો આપણે સુરક્ષિત બનીશું”.