અમદાવાદ-
તાજેતરમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા રાજ્યના પેટ્રોલપંપ સંચાલકોને ત્યાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ ચોરીના કૌભાંડમાં રાજ્યના ૧૦૪ પેટ્રોલપંપ પર દરોડા દરમિયાન ટેકસ ચોરી તેમજ વેટના રજિસ્ટ્રેશન રદ થવા છતાં તેઓએ પેટ્રોલનું વેચાણ ચાલું રાખ્યું હતું. અત્યાર સુધીમાં પેટ્રોલપંપ સંચાલકોએ રૂ. ૪૦૦ કરોડનું પેટ્રોલ બારોબાર વેચીને રૂ. ૬૫ કરોડની ટેકસ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની નજીક પહોંચી ગયા છે ત્યારે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો ગેરરીતિ કરવામાંથી ખચકાઇ રહ્યા નથી. જીએસટી લાગુ થયાને ચાર વર્ષ વીતી ગયા તેમ છતાં નંબર લેવાયા ન હતા. આ પેેટ્રોલ સંચાલકો ટેકસ ભર્યા વગર પેટ્રોલ વેચતા હતા. વેટના રજિસ્ટ્રેશન વગર ૨૭ પેટ્રોલ પંપ વેચાણ કરતા હતા, જેમણે રજિસ્ટ્રેશન વગર અંદાજે રૂ. ૪૦૦ કરોડનું વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલાક પેટ્રોલ પંપો ભરવાપાત્ર વેરો ન ભરીને ટેકસ ચોરી કરી હોવાનું જાણવા મળ્યુંં છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. ૬૪ કરોડનો વેરો ભરપાઇ કર્યો ન હોવાનું બહાર આવ્યું છે. પેટ્રોલપંપ સંચાલકોની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments