અમદાવાદ-

રાજયમાં કોરોનાના કેસો હવે કાબુમાં આવી રહયા છે. ત્યારે સરકાર હવે ધીરે ધીરે નિયંત્રણો ઓછા કરી રહી છે. અને વેકસીનેશન પર વધુ ભાર મુકવામા આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા નાના- મોટા વેપારીઓ માટે વેકસીનેશનના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કાલુપુરના તમામ વેપારીઓ માટે અને જમાલપુર એ પી એમ સી માર્કેટના વેપારીઓ માટે ખાસ વેકસીનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પની શરૂઆત આજે સેકટર 1 જેસીપી આર.વી અસારીએ કરી હતી. કાલુપુરના વેપારીઓ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજે સવારથી કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

આ વિશે વાત કરતા સેકટર 1 જેસીપી આર વી અસારીએ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમા નિયંત્રણો ઓછા કરવામાં આવ્યા છે. પરંતુ વેપારીઓ સુપર સ્પ્રેડર ન બને તેને ધ્યાનમાં રાખીને વેપારીઓ માટે વેકસીનેશન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું છે. જેની આજે શરૂઆત કરવામાં આવી છે. પોલીસ અને કોર્પોરેશન દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેકસીન આપવાની શરૂઆત કરાઈ છે. નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમનું પોલીસ દ્વારા વેકસીન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરશે . આજે 800 જેટલા વેપારીઓને વેકસીન આપવામાં આવશે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે 45 વર્ષથી ઉપરના મસ્કતી માર્કેટ, પાંચકુવા કાપડ માર્કેટ, રતનપોળ માર્કેટ તેમજ અન્ય બજારના વેપારીઓ માટે કાલુપુર, સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સીનેસન કેમ્પમાં સેક્ટર-1 જેસીપી આર.વી અસારી, ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહંત અને જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વેકશીનેસન ની શરૂઆત કરાવી હતિ. ઉલ્લેખનીય છે કે કોરોના ને હરવા માટે વેકશીનેસન એક જ માત્ર ઉપાય માનવામાં આવે છે