દિલ્હી-
ભારત અને નેપાળના ખરાબ સંબંધોની વચ્ચે બંને દેશો વચ્ચે 17મી ઓગષ્ટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ય માહિતી મુજબ આ બેઠક રાબેતામુજબની બેઠક છે જે બંને દેશો વચ્ચે સમયાંતરે થતી આવી છે. આ મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક નેપાળમાં ભારતીય રાજદૂત વિનય મોહવ ક્વાત્રા અને નેપાળના વિદેશ મંત્રી શંકર દાસ બૈરાગી વચ્ચે યોજાશે.
લિપુલેખ-કાલાપાનીમાં રોડ નિર્માણ અને ઉદઘાટન બાદ બંને દેશોના ખરાબ સંબંધો શરુ થયા પછી આ પહેલી ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની તૈયારીઓ થઇ રહી છે. સત્તાવાર સૂત્રોની માનીએ તો આ પ્રકારની બેઠકો વર્ષ 2016થી યોજાતી આવી છે જેમાં બંને દેશો વચ્ચે આર્થિક અને વિકાસ યોજનાઓ પર વાતચીત થતી આવી છે. જાેકે મહત્વની બાબત એ છે કે વિતેલા સમયમાં તણાવભર્યા સંબંધો વચ્ચે પણ બંને દેશો વચ્ચે આ થઇ રહેલી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
જાેકે તણાવભર્યા સંબંધો પર ભારતે તેનું વલણ એકતરફુ રાખતા સ્પષ્ટતા કરી દીધી હતી કે, નેપાળની વિસ્તારવાદની નીતિને ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં અને આ મુદ્દે નેપાળે જ વાતચીતનો માહોલ તૈયાર કરવો પડશે. ભારત એમ પણ કહી રહ્ય્š છે કે, સરહદી વિવાદ પર નેપાળ સાથે વાતચીત કોરોના મહામારી સામે જંગ જીત્યા પછી જ થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments