દિલ્હી-

ભારત અને નેપાળના ખરાબ સંબંધોની વચ્ચે બંને દેશો વચ્ચે 17મી ઓગષ્ટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ય માહિતી મુજબ આ બેઠક રાબેતામુજબની બેઠક છે જે બંને દેશો વચ્ચે સમયાંતરે થતી આવી છે. આ મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક નેપાળમાં ભારતીય રાજદૂત વિનય મોહવ ક્વાત્રા અને નેપાળના વિદેશ મંત્રી શંકર દાસ બૈરાગી વચ્ચે યોજાશે.

લિપુલેખ-કાલાપાનીમાં રોડ નિર્માણ અને ઉદઘાટન બાદ બંને દેશોના ખરાબ સંબંધો શરુ થયા પછી આ પહેલી ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની તૈયારીઓ થઇ રહી છે. સત્તાવાર સૂત્રોની માનીએ તો આ પ્રકારની બેઠકો વર્ષ 2016થી યોજાતી આવી છે જેમાં બંને દેશો વચ્ચે આર્થિક અને વિકાસ યોજનાઓ પર વાતચીત થતી આવી છે. જાેકે મહત્વની બાબત એ છે કે વિતેલા સમયમાં તણાવભર્યા સંબંધો વચ્ચે પણ બંને દેશો વચ્ચે આ થઇ રહેલી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

જાેકે તણાવભર્યા સંબંધો પર ભારતે તેનું વલણ એકતરફુ રાખતા સ્પષ્ટતા કરી દીધી હતી કે, નેપાળની વિસ્તારવાદની નીતિને ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં અને આ મુદ્દે નેપાળે જ વાતચીતનો માહોલ તૈયાર કરવો પડશે. ભારત એમ પણ કહી રહ્ય્š છે કે, સરહદી વિવાદ પર નેપાળ સાથે વાતચીત કોરોના મહામારી સામે જંગ જીત્યા પછી જ થશે.