ન્યૂ દિલ્હી

વિવાદસ્પદ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ રવિવારે કોરોના પોઝિટિવ મળ્યાં હતાં. સચ્ચા સૌદાના વડા હરિયાણામાં તેના બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. તેને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અગાઉ રામ રહીમને પેટના દુખાવાની ફરિયાદ બાદ રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીજીઆઈએમએસ) માં તપાસ કરવામાં આવી હતી. રામ રહીમ (૫૩) હાલમાં ચંદીગઢથી ૨૫૦ કિલોમીટર દૂર રોહતકની ઉચ્ચ સુરક્ષાવાળા સુનારીયા જેલમાં બંધ છે. 

ગયા મહિને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેને પીજીએમઆઈએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે હોસ્પિટલમાં કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવાની ના પાડી. ઓગસ્ટ ૨૦૧૭ માં બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ સ્વયંભૂ ગોડમેનને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં પંચકુલાની સીબીઆઈની વિશેષ અદાલતે પણ ૧૬ વર્ષ પહેલા પત્રકારની હત્યા બદલ તેમને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી અને ત્યારથી તે સજા ભોગવી રહ્યો છે.