ભીલોડા,અરવલ્લી , તા.૨૭ 

અરવલ્લી જિલ્લામાંકોરોના પોઝિટિવના કેસ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે દરમિયાનમાં ભિલોડાના ત્રિભોવનનગર સોસાયટીમાં રહેતી મહિલાને હ્‌દયરોગની બીમારી હોઇ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાને જે મહિલાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા  વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું. ત્રિભોવનનગરમાં રહેતા અને મુખ્ય બજાર ખાડિયા નજીક નોવેલ્ટીની દુકાન ધરાવતા માલિકના પરિવારની મહિલા સભ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ૧૦થી વધુ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.આ વિસ્તારની દુકાનો બંધ રહેતા ગ્રામપંચાયત સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.