ગાંધીનગર-

રાજ્યમાંથી હવે કોરોનાની વિદાય નિશ્ચિત થઈ ગઈ હોય તેમ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નવા માત્ર 31 કેસ સામે 113 દર્દીઓ સજા થયા હતા. તેમજ 18 જિલ્લામાં કોરોના કોઈ દર્દી નોંધાયા ન હતા. કુલ 8.24 લાખ સંક્રમીતોમાંથી 813512 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.હાલ રિકવરી રેટ વધીને 98.69 ટકા થયો છે. હાલ એકટીવ કેસનો આંક 719 પર પહોંચ્યો છે.

ગુજરાતના 22 જિલ્લામાં આજે એક પણ કેસ ન નોંધાયો, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા,, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ખેડા, તાપી, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, વલસાડ અને સુરેન્દ્રનગર કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.