દિલ્હી-
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદથી ભારતીયોને ત્યાંથી નિકાળવાના તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત ભારતીય એરફોર્સના C-130J પરિવહન જહાજે કાબુલથી 85 જેટલા ભારતીયો સાથે ઉડાન ભરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જહાજ ઈંધણ ભરાવવા માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું. ભારત સરકારના અધિકારીઓ ભારતીય નાગરિકોને ત્યાંથી નિકાળવા માટે મદદ કરી રહ્યા છે. આ અગાઉ 17 ઓગસ્ટના રોજ ભારતીય વાયુ સેનાના સૈન્ય પરિવહન જહાજમાં ભારતીય રાજનયિકો, સુરક્ષા કર્મચારીઓ તેમજ ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયો સહિત કુલ 150 જેટલા લોકોને કાબુલથી પરત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 16 ઓગસ્ટના રોજ કાબુલથી અન્ય એક જહાજમાં 40 કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. હજુ પણ ભારતીય વાયુ સેના દ્વારા આ પ્રકારે કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments