દિલ્હી-
ચીને ભારતને ચેતવણી આપી દીધી છે કે તેઓ ભારતીય અર્થતંત્રથી ચીનના અર્થતંત્રને અલગ કરવાની કોશિષ ના કરે. ચીને કહ્યુ કે જાે ભારત આામ કરે છે તો બંને દેશોને જ નુકસાન થશે. ચીની રાજદૂતે કહ્યુ કે ચીન ભારત માટે રણનીતિક રીતે કોઇ ખતરો નથી અને બંનેને એકબીજાની જરૂરિયાત છે.
ચીનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મોદી સરકારે સુરક્ષાના કારણોસર ચીનની કેટલીય એપ્સ બેન કરી દીધી છે. તેની સાથે જ વિદેશી રોકાણ સહિત ભારતમાં વેપાર કરવાના કેટલાંય નિયમોમાં ફેરફાર કર્યા છે જેનાથી ચીની વેપારના હિત પ્રભાવિત થવાનું નક્કી છે.
ચીની રાજદૂત સન વેઇડોંગ એ ટિ્વટર પર લખ્યું કે ચીન એવા સંબંધોની વકાલત કરે છે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય અને કોઇને નુકસાન ના થાય. આપણું અર્થતંત્ર એક-બીજાનું પૂરક અને એક-બીજા પર ર્નિભર છે. તેને જબરદસ્તી નબળું કરવું ટ્રેન્ડની વિપરીત જવાનું છે. આથી બંને દેશોને માત્ર નુકસાન જ થશે. ચીન કોઇ વિસ્તારવાદી તાકાત કે રણનીતિક ખતરો નથી. બંને દેશોની વચ્ચે સદીઓથી શાંતિપૂર્ણ સંબંધ રહ્યા છે. અમે કયારેય આક્રમક રહ્યા નથી અને ના તો કોઇ દેશની કિંમત પર પોતાનો વિકાસ કર્યો છે.
વેઇડોંગે વધુમાં કહ્યુ કે ચીનથી વધુ એક અદ્રશ્ય વાયરસ ખતરો થઇ શકે છે. ભારત અને ચીનના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના લાંબા ઇતિહાસને રદ્દ કરવા સંકીર્ણ વિચારને દેખાડે છે અને આ નુકસાનદાયક પણ છે. હજારો વર્ષોથી મિત્ર રહેલા દેશને કેટલાંક અસ્થાયી મતભેદો અને મુશ્કેલીઓના લીધે વિરોધી અને રણનીતિક ખતરો બતાવો સંપૂર્ણપણે ખોટું છે.
તો આખી દુનિયામાં કેટલાંય મુદ્દાઓ પર ચીનને ઘેરવા પર ચીની રાજદૂતે કહ્યુ કે તાઇવાન, હોંગકોંગ, શિનજિયાંગ અને શિજાંગ ચીનના આંતરિક મુદ્દા છે અને તેનાથી ચીનની સંપ્રભુતા અને સુરક્ષા જાેડાયેલી છે. ચીન કોઇ બીજા દેશની આંતરિક બાબતમાં દખલ દેતા નથી અને ના તો કોઇ બહારની દખલને સહન કરે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments