ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલ માંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાળકીને બપોરના સમયે ગુમ થઈ હતી જે તેનો સીધો મૃતદેહ મળી આવતા સોસાયટી પંથકમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ નજીકની ૬ વર્ષીય બાળકી ગુમ થતાં તેની શોધખોળ આરંભી હતી તે દરમિયાન રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલ માંથી ૬ વર્ષીય ઓનુશ્રી અપૂર્ણ વિશ્વાસ ખુલ્લા બોરવેલમાં ખાબકી ડૂબી જવાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું હતું જેને લઇ સોસાયટીના રહીશોએ મૃતકના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરી હતી.બોરવેલમાં ખાતે ૬ વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કાઢી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરી હતી જેના કારણે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments