અરવલ્લી-

રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો ર્નિણય, મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જાેવા મળે છે. અરવલ્લીના રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો ર્નિણય કરાયો છે. આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક મળી હતી. જેમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વના ર્નિણય કરાયા છે. જે બાદ બાળકોને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે.

૧૮ વર્ષથી નીચેના એટલે સગીર અને સગીરાને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ કરી દેવાયો છે. સમાજના મત અનુસાર મોબાઈલના ઉપયોગથી બાળકો પર ગંભીર અસર પડી રહી છે. સાથે મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જાેવા મળે છે. આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક ધનસુરાના વડાગામ ખાતે યોજાઈ હતી. જેમાં આ ર્નિણય પાછળનો સારો હેતુ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગેરમાર્ગે ન દોરાય તેવો છે.

મહત્વનું છે કે, દાંતીવાડાનાં ૧૨ ગામ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ૧૮ વર્ષથી નાની વયની કે લગ્ન ન થયા હોય તેવી યુવતીઓને મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ મુકાયો હતો. જેમાં યુવતીઓને મોબાઇલ ન રાખવાનાં ર્નિણયનું વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યુ હતું.