અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1091 થી વધુ નોંધાયા છે. જેની સામે 1233 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 09 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3638 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1091 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,59,726 થયો છે. તેની સામે 1,41,652 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,59,726 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,436 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,59,726 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,436 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 74 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,362 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,41,652 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3638 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.