અમદાવાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સહિત નેતા, ધારાસભ્ય અને કાર્યકર્તા ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે ‘હું કોંગ્રેસના નેતા અને ગુજરાત લોકોનો આભારી છુ કે આ સમયમાં લોકોનો અને સાથ સહકાર મળ્યો છે . આજે પણ વિશ્વાસ થતો નથી કે અહેમદ પટેલ આપણી વચ્ચે નથી. એવું લાગે છે કે ગમે તે સમયે તે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. ગુજરાતના લોકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે એવી આશા રાખું છું. અહેમદ પટેલ એવું ક્યારે નહોતા ઇચ્છતા કે હું અને મારી બહેન રાજકારણમાં સક્રિય ભાગ લઇએ. એક અઠવાડિયાથી લોકોને મળીને અહેમદ પટેલની વિરાસત અંગે જાણ્યું છે.