અમદાવાદ-
ગ્રેજ્યુએશન મેડીકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિવર્સિટીએ મેડીકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજિયાતપણે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં પરીક્ષકો બોલાવી નીમવાના હોય છે. આથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શકતા રહે. આમાં કોરોનાની મહામારી સ્થિતિમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છૂટછાટ આપી છે. આ અગાઉ યુજી-પીજીની પરીક્ષાઓમાં છૂટ આપ્યા બાદ હવે લેવાનારી યુજીની ફાઈનલ મેડીકલ પરીક્ષાઓને લઈને પણ મેડીકલ કમિશનને છૂટ આપતો સર્ક્યૂલર કર્યો છે. આ અંતર્ગત હવે દરેક યુનિવર્સિટીઓએ પરીક્ષામાં રાજ્ય બહારના જ પરીક્ષકો બોલાવવા પ્રાથમિકતા આપવાની રહેશે, પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિવર્સિટી રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા યુજી મેડિકલની પરીક્ષાઓમાં બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત ખાસ છૂટછાટ આપવામાં આવી છે, જે અંતર્ગત યુનિવર્સિટીઓ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે. જોકે, ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments