અમદાવાદ-

ગ્રેજ્યુએશન મેડીકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિવર્સિટીએ મેડીકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજિયાતપણે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં પરીક્ષકો બોલાવી નીમવાના હોય છે. આથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શકતા રહે. આમાં કોરોનાની મહામારી સ્થિતિમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છૂટછાટ આપી છે. આ અગાઉ યુજી-પીજીની પરીક્ષાઓમાં છૂટ આપ્યા બાદ હવે લેવાનારી યુજીની ફાઈનલ મેડીકલ પરીક્ષાઓને લઈને પણ મેડીકલ કમિશનને છૂટ આપતો સર્ક્યૂલર કર્યો છે. આ અંતર્ગત હવે દરેક યુનિવર્સિટીઓએ પરીક્ષામાં રાજ્ય બહારના જ પરીક્ષકો બોલાવવા પ્રાથમિકતા આપવાની રહેશે, પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિવર્સિટી રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા યુજી મેડિકલની પરીક્ષાઓમાં બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત ખાસ છૂટછાટ આપવામાં આવી છે, જે અંતર્ગત યુનિવર્સિટીઓ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે. જોકે, ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.