દિલ્હી-

શિકાગો વિશ્વવિદ્યાલયના એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે, જ્યાં 48 કરોડથી વધારે લોકો અથવા દેશની 40 ટકા વસ્તી ઉત્તરમાં ગંગાના મેદાની વિસ્તારોમાં રહે છે, જ્યાં પ્રદૂષણનું સ્તર નિયમિત રીતે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા સ્તર કરતા વધારે છે. વિશ્વવિદ્યાલયના 'એનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યુટ'ની સ્ટડીથી જાણવા મળે છે કે જો કોઈ વ્યક્તિ સ્વચ્છ હવામાં શ્વાસ લે છે તો તે કેટલા સમય સુધી જીવતો રહી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો 2019નું પ્રદૂષણ સ્તર બની રહે છે તો ઉત્તર ભારતના લોકોના આયુષ્યમાં 9 વર્ષ જેટલો ઘટાડો થવાની શક્યતા છે, કેમકે આ ક્ષેત્ર દુનિયામાં વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સ્તરનો સામનો કરી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ભારતનું સરેરાશ 'પાર્ટિકુલેટ મેટર કન્સ્ટ્રેશન' 70.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું, જે દુનિયામાં સૌથી વધારે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 10 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરના દિશાનિર્દેશથી 7 ઘણી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરનું સમયની સાથે ખતરનાક રીતે ભૌગોલિક રીતે વિસ્તરણ થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક દાયકા પહેલાંની તુલનામાં સૂક્ષ્મ કણોનું પ્રદૂષણ હવે ફક્ત ભારતના ગંગાના મેદાની વિસ્તારોની વિશેષતા નથી. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રદૂષણ ઘણું વધી ગયું છે. ઉદાહરણ માટે એ રાજ્યોમાં સરેરાશ વ્યક્તિના આયુષ્યમાં હવે 2000 ની શરૂઆતની તુલનામાં વધારાના 2.5 થી 2.9 વર્ષનો ઘટાડો આવ્યો છે. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન માટે AQLIના આંકડાઓથી જાણવા મળે છે કે જો WHOના દિશા-નિર્દેશો પ્રમાણે પ્રદૂષણ ઓછું કરવામાં આવે છે તો વ્યક્તિ સરેરાશ 5.6 વર્ષ વધારે જીવિત રહેશે. ભારતના વાયુ પ્રદૂષણના સ્તરમાં સમયની સાથે ભૌગોલિક રીતે વધારો થયો છે અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશમાં આ સ્તર એટલું વધી ગયું છે કે સરેરાશ એક વ્યક્તિના આયુષ્યમાં 2.5થી 2.9 વર્ષ સુધીનો ઘટાડો આવી રહ્યો છે. એક નવા રિપોર્ટમાં પ્રદૂષણના પરિણામને લઈને ચેતવવામાં આવ્યા છે.