દિલ્હી-
કોરોનાની મહામારી વચ્ચે ઓડિશામાં કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમા રાખીને ઓડિશામાં નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અનુસંધાને સામાજિક-ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓડિશામાં 30 નવેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. છેલ્લા 24 કલાકમાં 48,268 નવા પોઝિટિવ કેસો ભારતના કુલ કેસોની સંખ્યા 81,37,119 પર પહોંચી છે. જ્યારે રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 59,454 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કુલ 5,82,649 કેસ એક્ટિવ છે.
ઓડિશામાં કોરોના વાયરસને કારણે સરકારે હાલમાં રાજ્યમાં શાળાઓ બંધ રાખવાનો ર્નિણય લીધો છે. ચર્ચા હતી કે નવેમ્બરથી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી શકે છે પરંતુ હવે સરકારે આ અંગે વિરામ મુકી દીધો છે. નવીન પટનાયક સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં 30 નવેમ્બર સુધી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવશે નહીં. 30 નવેમ્બર પછી સરકાર કોરોના વાયરસની સમીક્ષા કરશે અને તે પછી શાળા ખોલવાનો ર્નિણય લેવામાં આવશે. જાે કે, 9થી 12 ધોરણનાં વર્ગના વિદ્યાર્થીઓ 16 નવેમ્બરથી શાળાએ જઈ શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments