દિલ્હી-

યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરની એલઓસી પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ ભારતીય સૈનિકો શહીદ થયાના અહેવાલ છે. આ સાથે આ ફાયરિંગમાં સ્થાનિક નાગરિકોના મોત થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં, પાકિસ્તાની સેનાએ એલઓસીને અડીને આવેલા ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.

આ ફાયરિંગ અંગે ભારતીય સેનાના જવાનોએ યોગ્ય જવાબ આપ્યો. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના બે જવાનો અને બીએસએફનો એક જવાન શહીદ થયા હતા.