ઇસ્લામાબાદ-
થોડા દિવસો પહેલા પાકિસ્તાને 88 આતંકવાદી સંગઠનો અને તેમના માસ્ટર પર પ્રતિબંધ મૂક્યો હતો. આ શ્રેણીમાં, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ની ગ્રે લિસ્ટમાં સમાવિષ્ટ ન થાય તે માટે પાકિસ્તાનના પ્રયાસો ચાલુ છે. તેણે હવે જમાત-ઉદ દાવાના ત્રણ નેતાઓ અને હાફિઝ સઇદના નજીકના સહયોગીઓને સજા સંભળાવી છે.
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ત્રણ ટોચના નેતાઓને સજા ફટકારી છે. જેમાંથી અબ્દુલ રહેમાન મક્કીને દોઢ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સિવાય પ્રોફેસર ઝફર ઇકબાલ અને અબ્દુલ સલામને 16 વર્ષની સજા ફટકારી છે. આતંકવાદ ફેલાવવા અને નાણાં પૂરાવવાના કેસમાં કોર્ટે આ સજા ફટકારી છે.
થોડા દિવસો પહેલા, પાકિસ્તાન સરકારે 18 ઓગસ્ટના રોજ 26/11 ના મુંબઈ હુમલાના કાવતરાખોર અને જમાત-ઉદ-દાવા નેતા હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર પ્રતિબંધો જાહેર કરતાં બે સૂચનો જાહેર કર્યા હતા. હતી. 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા પછી ઇબ્રાહિમ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તરીકે સામે આવ્યો છે.
Loading ...