દિલ્હી-

દિલ્હીના રોહિણીમાં આવેલી જયપુર ગોલ્ડલ હૉસ્પિટલમાં હાલ ઓક્સિજનનો ખૂબ ઓછો જથ્થો બચ્યો છે. મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાના કહેવા પ્રમાણે હૉસ્પિટલમાં 200 દરદી છે જેમાંથી 80 ઓક્સિજન સપોર્ટ પર છે અને 35 આઈસીયુમાં છે. ગત રાત્રે ઓક્સિજનની ઘટના કારણે ગંભીર રીતે બીમાર 20 દરદીઓનાં મૃત્યુ થઈ ગયાં. હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે જાણકારી આપતાં કહ્યું છે કે તે ઓક્સિજનની રાહ જોઈ રહ્યા છીએ અને કોરોનાના 215 દરદીઓને તાત્કાલિક આની જરૂરિયાત છે.  હૉસ્પિટલના અધિકારીઓને ટાંકીને જાણકારી આપી હતી કે મૃત્યુ પામનારા મોટા ભાગના કોરોના વાઇરસના દરદી હતા જે હૉસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ભરતી હતા.તમામ 20 દરદીઓનાં મૃત્યુ લો ઓક્સિજન પ્રેશરના કારણે થયાં કારણ કે હૉસ્પિટલની પાસે ઑક્સિજન પૂર્ણ થઈ ગયો હતો. ડૉક્ટર બલુજાએ કહ્યું, "અમારી સામે એક વખત ફરીથી સંકટની સ્થિતિ છે. 200 જીવ ખતરામાં છે. ગઈ કાલે રાત્રે તો અમે મોટા ભાગના દરદીઓને બચાવી લીધા હતા આજે અમે એવું કરી શક્યા નથી. અમે બેકઅપ માટે જે ઓક્સિજન રાખ્યો હતો, તે પણ પૂર્ણ થઈ ગયો છે."હૉસ્પિટલે પોતાના ટ્વિટર હેન્ડલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પીએમઓ, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધન, આરોગ્ય મંત્રાલય અને દિલ્હીના ઉપરાજ્યપાલને ટેગ કરીને એસઓએસ એલર્ટ જાહેર કર્યો છે અને મદદ માગી છે.