પાદરા, તા.૯ 

મધ્ય ગુજરાત વીજ કંપની પાદરા સબ ડિવિઝન વિભાગ-૧ મા આવતા પાદરા નગર ના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસો થી વીજ પુરવઠો ગમે ત્યારે અને કારણ વગર કલાકો સુધી ખોરવાતો હોય છે અને નાગરિકો વીજ પુરવઠા અંગે વીજ કંપની માં ફરિયાદ કરે છે ત્યારે ત્યાં કોઈ ફોન પણ ઉપડાતું નથી. આ એક સત્ય હકીકત છે.

છેલ્લા કેટલા દિવસ થી પાદરા નગરમાં સવાર ની શુભ શરૂઆત વિજળી ગુલ થી થાય છે, છેલ્લા ઘણા દીવસથી દીવસ માં વારંવાર અને ખાસ કરી ને સવાર ના પ્રારંભે જ વીજ પુરવઠો ખોરવાતો હોય છે જ્યારે સવાર માં અનેક નાગરિકો ના દિકરા/દીકરીઓ ઓનલાઈન અભ્યાસ કરતા હોય છે જેથી મુશ્કેલીઓ પડે છે. આજે પાદરા નગર ના જાગુત યુવાનોએ ઉર્જા મંત્રી ને ઇઁછડ્ઢ દ્વારા તથા પાદરા વીજ કંપની ના નાયબ ઈજનેર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે અને સમસ્યા નોં ઉકેલ નહિ આવે તો વીજ બીલમાં ઝીકવામાં આવતા સર્વિસ ચાર્જ પણ નહીં ભરવામાં આવે તેવી ચિમકી આપી હતી પાદરા ના જાગૃત યુવાનો માં આશીશભાઈ પટેલ, સંતોષ પટેલ, દક્ષેશ પટેલ, દિલીપ રાવળ તથા કિશન મહારાજ સહિતના યુવાનો દ્વારા રોષ સાથે રજુઆત કરવામાં આવે છે.પાદરાવાસીઓ ની શુભ સવારની શરૂઆત જ વીજળી ગુલથી થાય છે.