દિલ્હી-

લાંબા સમયથી ચાલતા વૈશ્વિક કોરોના સંકટના પડછાયામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ, સંસદ ભવન પરિસરમાં 17 માર્ચના બુધવારે, સંસદીય પક્ષની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અને બંને ગૃહના સાંસદ ઉપસ્થિત રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, અહી મહાનુભાવોને માર્ગદર્શન આપે તેવી સંભાવના છે. આ સાથે જ, આ મીટિંગમાં વિવિધ વિષયો પર ચર્ચા, વિચારણા અને સંવાદનો સમાવેશ કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે. છેલ્લા અઠવાડિયામાં 10 માર્ચ ના આવી રોજ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હાલમાં બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, અને તે 8 મી એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ તબક્કો, 13 ફેબ્રુઆરી ના રોજ પૂરો થયો હતો.