દિલ્હી,

કોરોનાને કારણે દેશમાં લાગુ અનલોક-1 વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે ફરી એકવખત મન કી બાત કરશે. આજે વડાપ્રધાનના 'મન કી બાત' રોડિયો કાર્યક્રમનો 66મો એપિસોડ હશે. આ પહેલા પણ પીએમ મોદી તેમના સંબોધનમાં કોવિડ-19ની પરિસ્થતિ અંગે વાત કરી ચૂક્યા છે.

PM મોદી સવારે 11 કલાકે 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. આ જાણકારી વડાપ્રધાન મોદી તેમના ટ્વિટર હેન્ડલ પર આપી હતી. દેશમાં કોરોના સંકટ અને અનલોક-1 વચ્ચે વડાપ્રધાન મોદી સતત દેશવાસીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે 'મન કી બાત'નો 66મો એપિસોડ હશે. વડાપ્રધાન મોદીએ ગત 14 જૂનના રોજ ટ્વીટ કરી લોકોને NaMo એપ અને MyGov જેવા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી સુચનો માંગ્યા હતા.