અંક્લેશ્વર, અંકલેશ્વર નગરપાલિકા માં ટીકીટો ની વહેંચણી બાબતે મોદી સમાજ ની લાગણી દુભાઇ હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યુ છે.એક પત્રિકા મોદી સમાજ ના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા રાજકીય ઉત્તેજના વ્યાપી ગઈ હતી.અંકલેશ્વર સમસ્ત મોઢ ઘાંચી સમાજ નું સોશિયલ મીડિયા પર ગ્રુપ છે જેમાં એક મેસેજ ફરતો થયો છે અને ઘાંચી સમાજ ની વેદના નામે બળાપો વ્યક્ત કર્યો છે. આ મેસેજ માં એવું લખવા માં આવ્યુ છે કે એક સમયે અંકલેશ્વર નગરપાલિકા માં મોદી સમાજ નું વર્ચસ્વ હતુ ૧૫ બેઠકો મોદી સમાજ ને ફાળવવામાં આવતી હતી, અને ૧૫ નગરસેવકો ઘાંચી સમાજ ના હતા.આ વખતે ભારતીય જનતા પાર્ટી એ ઘાંચી સમાજ ના ફક્ત ત્રણ વ્યક્તિને ટિકિટ ફાળવી છે એટલે આ વખતે પક્ષ જાેઈને નહીં પણ ઉમેદવાર ને જાેઈને મત આપવો આવી અપીલ મોઢ ઘાંચી સમાજ ના સોશિયલ મીડિયા પરના ગ્રુપમાં ફરતી થઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે તબકકાવાર મોદી સમાજ ના ઉમેદવારોની સંખ્યા માં ઘડાતો થતો ગયો છે,અને ભાજપ દ્વારા પણ મોદી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની નારાજગી મોદી સમાજ માં વ્યક્ત થઇ રહી છે.