મ્યુનિ. કોર્પોરેશને નવલખી મેદાન ખાતે શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે મોટું કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. તળાવમાં વિસર્જિત પીઓપીની પ્રતિમાઓ ત્રણ મહિના પછી પણ નહીં ઓગળતાં દુંદાળાદેવની મૂર્તિઓની દયનીય પરિસ્થિતિ જાેવા મળી હતી! લોકસત્તા-જનસત્તાએ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરી સત્તાધીશોના કાન ખેંચ્યા હતા. ત્યારે હવે પાલિકાએ આખરે તળાવની સફાઈ કામગીરી શરૂ કરી છે.