વડોદરા, તા.૧૬  

વાઘોડિયા રોડ પર આવેલ હરિયાળી હોટલની બાજુની ગલીમાં પરિવાર ચાર રસ્તા પાસે વ્રજલીલા સોસાયટીના રહીશોએ ગંદા પાણીને લઇને સૂત્રોચાર કરી નારાબાજી લગાવી વિરોધ કર્યો હતો. ત્યાંના સ્થાનિકોની માગ છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી અહીં વરસાદના પાણી ભરાય છે એ પછી ગટરનું પાણી પણ ઊભરાય છે અને ગટરનું પાણી બધાના ઘરમાં જાય છે.તેમજ વરસાદ બંધ થઈ ગયા પછી પાંચ-છ દિવસ લગી પાણી સોસાયટીમાંથી ઉતરતું નથી.હાલમાં કોરોનાવાયરસની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ ગંદા પાણીની ગટર ઉભરાય છે અને દુર્ગંધવાળુ સ્મેલ મારે છે રોગચાળો ફેલાશે અને કોઈ બીમાર પડશે અને કોઈનું મૃત્યુ થશે તેનું જવાબદાર કોણ રહેશે એવો પ્રશ્ન ઉઠાવીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ અધિકારી કે કાઉન્સિલર જોવા આવતા નથી જેથી કરીને આ પ્રશ્નનો વહેલી તકે નિવેડો આવે એવી માંગ કરી છે.