વડોદરા-

વડોદરાના મહારાણી છેલ્લા 1 મહિનાથી ચર્ચાના કેન્દ્ર બન્યા છે, થોડા દિવસ પહેલા મહારાણી અંગે એક સમાચાર વહેતા થયા હતા કે મહારાણી દેશના રજવાડામાં સૌથી સુદંર મહારાણી છે જે સમાચાર દિવસો જતા ખોટા સાબિત થયા હતા. ત્યારે ગઇ સાંજે બીજા એક સમાચાર આવ્યા હતા કે મહારાણી જૈન સાધ્વી બની રહ્યા છે , તે દિક્ષા લઇ રહ્યા છે.

તે અંગે પેલેસને સ્પષ્ટતા કરવી પડી હતી કે આ સમાચાર પણ ખોટા છે, મહારાણી દિક્ષા નથી લઇ રહ્યા.