દિલ્હી-

૧ ઓકટોબરથી નવો નિયમ લાગુ થશે: મહિનામાં ૧૦ કલાકથી વધુ સમય માટે એટીએમમાં રોકડ ન હોય તો તે કિસ્સામાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દડં લાદવામાં આવશે. ઘણી વખત એટીએમમાં રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંક એ એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો એટીએમમાં રોકડ ના મળે તો બેંકને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

૧ ઓકટોબર ૨૦૨૧ આરબીઆઈથી બેંકો પર દડં વસૂલવાનું શ કરશે જો તેમના એટીએમ એક મહિનામાં કુલ ૧૦ કલાકથી વધુ સમય સુધી ખાલી રહે છે. આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે એટીએમમાં નિયત સમયમાં રોકડ ન ભરવા બદલ બેંકને દડં ફટકારવામાં આવશે. આરબીઆઈએ આ પગલું એટલા માટે લીધું છે કે જેથી એટીએમ દ્રારા જનતા માટે પૂરતી રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. આરબીઆઈ એ કેશ-આઉટના કારણે એટીએમના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. આરબીઆઈ અનુસાર જો મહિનામાં ૧૦ કલાકથી વધુ સમય માટે એટીએમમાં રોકડ ન હોય તો તે કિસ્સામાં ૧૦,૦૦૦ પિયા સુધીનો દડં લાદવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં બેંકો પર દડં લાદવામાં આવશે. જો બેંક એટીએમમાં રોકડ નાખવા માટે કોઈપણ કંપનીઓની સેવાઓ લઈ રહી છે તો તેણેપણ બેંકને જ દડં ચૂકવવો પડશે. બાદમાં બેંક તે વ્હાઇટ લેબલ એટીએમ કંપની પાસેથી દડં વસૂલી શકે છે. રિઝર્વ બેંકને નોટો જારી કરવાની જવાબદારી આપવામાં આવી છે. તે જ રીતે બેંકો તેમની શાખાઓ અને એટીએમના વિશાળ નેટવર્ક દ્રારા લોકોને નાણાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ઉઠાવે છે.