મુંબઇ 

સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહ્યાને 4 મહિના થયા છે.પરંતુ હજી સુધી અભિનેતા અને તેના પરિવારને ન્યાય મળ્યો નથી. આ કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીને જેલમાં જવું પડ્યું હતુ. પરંતુ ત્યારબાદ તેને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ કેસની તપાસમાં ઘણાં નિવેદનો બહાર આવ્યા અને રિયાને ઘણા બોલિવૂડ સ્ટાર્સનો ટેકો મળ્યો.જ્યારે આ એપિસોડમાં અભિનેતા રિતેશ દેશમુખનું નામ પણ જોડાયું છે.

ખરેખર, રિયા ચક્રવર્તીના એક પાડોશીએ દાવો કર્યો હતો કે તેણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશિયાને રિયા સાથે જોયો હતો.પરંતુ જ્યારે સીબીઆઈ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે પલટી ગઇ. 

આ કેસમાં રિયાએ તેના પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે અને તેની ફરિયાદમાં રિયાએ કહ્યું છે કે તેના પાડોશીએ તેના પર જે આક્ષેપો કર્યા છે તે પાયાવિહોણા છે અને કેસની તપાસ ખોટી દિશામાં લેવાનો પ્રયત્ન કર્યો છે.

આ રિપોર્ટ્સ પર રિતેશ દેશમુખે રિયાને સાથ આપ્યો, આ અંગે રિતેશે ટ્વિટ કરીને લખ્યું છે કે 'તમને વધુ તાકાત મળે રિયા. સત્યથી વધુ શક્તિશાળી કશું નથી. રિતેશ દેશમુખનું આ ટ્વિટ હવે વાયરલ થઈ રહ્યું છે, એક તરફ ચાહકો રિયાના સમર્થનમાં બોલી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે સત્ય ફક્ત સુશાંત જ છે.