ગાંધીનગર-

નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીએ ક્રાંતિકારી નિર્ણયો કર્યો છે.જેમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો તા.31મી ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઇ નિયમીત - રેગ્યુલરાઇઝ કરી અપાશે અને રાજ્યના નગરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે કનેકશન આપી દેવાશે. જોકે આ નિર્ણય માટે વિજય ભાઈ રૂપાણીએ આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટીઝ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી સાથે રોજબરોજના કામો-વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવા માટે ની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે રોડ-રસ્તા રિપેરીંગ-નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા ડિટેઇલ પ્લાનીંગ કરવના આદેશ વિજય ભાઈ એ કર્યા છે.તો બીજી તરફ રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો નગરો-મહાનગરોમાં મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું અને રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓમાં સ્વચ્છતાના કામોનું લક્ષ્‍યાંક આધારિત પ્લાનીંગ કરવાનું સૂચન કર્યું છે. ઉપરાંત નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન ફેઇસ લેશ કરવાની વ્યવસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમયાનુકુલ માંગ મુજબ ઊભી કરવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સંકલ્પ 'નલ સે જલ' મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. જેના પગલે વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.31 ડિસેમ્બર-2020 સુધીમાં માત્ર રૂ. 500ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે.એટલું જ નહિ, તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે. 

નોંધનીય છે કે વિજય રૂપાણીએ રાજ્યના 8 મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને 'નલ સે જલ' મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, સચિવ લોચન શહેરા તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. કમલ શાહ, અને રાવલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. 

જ્યારે વિજય રૂપાણીઆ બેઠકમાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહિવટી કામોનો નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે . તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ. 

વિજય રૂપાણીએ નગરો-મહનગરોમાં ટી.પી., ડી.પી.ની પરવાનગીમાં રાજ્ય સરકારે જે ઝડપી કાર્યવાહી કરીને યુદ્ધના ધોરણે તેનો નિકાલ કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તે જ રીતે ટી.પી સ્કીમ નો ડ્રાફ્ટ મંજૂર થાય એટલે તરતજ અમલીકરણ ની કામગીરી શરૂ થાય ખાસ કરીને રસ્તાની જમીન ના સત્તા મંડળ લઇ લે અને આંતર માળખાકીય સુવિધા ના કામો માટે જરૂરી કામગીરી કરે તેવું સૂચન કર્યુ હતું. અને પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને ફેઇસ લેસ વ્યવસ્થાઓ નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન કરીને વિકસાવવા સમયાનુકુલ કાર્યવાહીના સેટ અપ માટે પણ આ બેઠકમાં હિમાયત કરી હતી.