નડિયા : ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામે મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસથાને તથા ધારાસભ્યો અર્જૂનસિંહ ચૌહાણ અને કેસરીસિંહ સોલંકીના મહેમાનપદે ખેડા જિલ્‍લા પંચાયત આયોજીત મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને કઠલાલ એમ ચાર તાલુકા માટે સંપર્ક સંરપંચશ્રીઓ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. 

આ કાર્યક્રમમાં પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, જેમ દેશના વિકાસમાં વડાપ્રધાનની દીર્ધદૃષ્ટિ અને ર્નિણય શક્તિનું મહત્‍વ છે તેમ ગામના વિકાસમાં સરપંચની દીર્ધદૃષ્ટિ અને ર્નિણય શક્તિનું ખુબ જ મહત્‍વ રહેલું છે. ગામના વિકાસ માટે પાયાના કામોને પ્રાથમિકતા આપી તે કામો ત્‍વરીત અને ગુણવત્તાયુકત રીતે કરવા જાેઇએ. તો જ ગામનો સંપૂર્ણ અને સમતલ વિકાસ થઈ શકે છે. ૧૪મા નાણાં પંચમાં ફાળવેલી ગ્રાન્‍ટના સદઉપયોગ માટે ચારેય તાલુકાના શ્રેષ્‍ઠ સરપંચનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. હવે જયારે ૧૫મા નાણાંપંચનો અમલ થવા જઇ રહ્યો છે ત્યારે તેનાં કામોમાં ઘર ઘર પીવાનાં પાણીનાં નળથી પાણી અને ગટર વ્‍યવસ્‍થાને પ્રાધાન્‍ય આપવા તેઓએ સરપંચોને જણાવ્‍યું હતું. સાથે સાથે કેન્‍દ્ર અને રાજ્ય સરકારની ૧૫૩ જેટલી વિવિધ વિકાસની યોજનાઓની જાણકારી માટે ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર ઉપર ફોન કરવા સૂચના આપી હતી. મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણે પણ પ્રાસંગિક ઉદબોધન કરી જણાવ્‍યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી, વ્હાલાદવલાની નીતિથી પર રહી વિકાસના કામોને પ્રાધાન્‍ય આપવું જાેઇએ.

જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે ઉપસ્થિત સરપંચને અભિનંદન આપી ગામના વિકાસ ઉપર ધ્યાન કેન્‍દ્રીત કરવા જણાવ્‍યું હતું. જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ સ્‍વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકે આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેરમેન જયંતીભાઇ સોઢા, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્‍યો, અગ્રણી ધારીણીબેન શુકલ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો અને ગામના સરપંચ મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.