આણંદ : સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મેરેજ સેરેમની માટે આણંદમાં આવેલાં મધુભાન રિસોર્ટને પસંદ કર્યો હતો. આજે રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુભાન રિસોર્ટમાં લગ્ન કરશે. જાેકે, આ બાબતે ખુબ જ ગુપ્તતા સેવવામાં આવી છે. બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી નથી. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું છે, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની ટીમના કેટલાંક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ પણ શેર કર્યા હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ, રિની વ્યવસાયે વકીલ છે. તેણે અને જયદેવે ૧૫ માર્ચ, ૨૦૨૦ના રોજ સગાઈ કરી હતી. સગાઈના ૨ દિવસ પહેલાં જ ઉનડકટે સૌરાષ્ટ્રને રણજીમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જયદેવે સંગીત સેરેમનીમાં રિની માટે ખાસ સ્પીચ તૈયાર કરી હતી. તેણે કહ્યું હતું કે, પ્રપોઝ કરતી વખતે હું ધોની સામે છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે હોવ એનાંથી વધારે નર્વસ હતો.