વડોદરા, તા.૧૭ 

સાંદરદા-પદમલા મીની નદીના બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા વાછરડાને પર્યાવરણ બચાવો સમિતીના સભ્યો દ્વારા ખાનગી વાહનમાં સયાજીપુરા પાંજરાપોળ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ. આણંદ થી વડોદરા તરફ આવતા હાઇવે ઉપર સાંકરદા પદમલા મીની નદી ના બ્રિજ પાસે અજાણ્યા વાહને ગાય ના વાછરડા ને અડફેટે લેતા વાછરડું ગંભીર રીતે ઘાયલ થયુ હતુ.ઘાયલ થતા ની સાથે વાછરડુ રોડ વચ્ચે બેસી ગયુ હતુ. ઘટના ની જાણ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ને થતા કાર્યકરો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એનિમલ હેલ્પ લાઇન માં ફોન કર્યો હતો. સાથે હાઇવે ઓર્થોરિટી એમ્બ્યુલન્સ ને પણ જાણ કરવામાં આવી હતી, રસ્તા ઉપર અન્ય અકસ્માત ના સર્જાય જેથી સામાજિક કાર્યકર્તા દીપકસિંહ દ્વારા હાઇવે ઉપર ઉભા રહી વાહનો ના અવરજવર ને ડાયવર્ટ કર્યું હતું, ઘટના સ્થળે ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઇન એમ્બુલન્સ પહોંચતા ઘાયલ વાછરડાને તાત્કાલિક સારવાર આપી હતી.